આ અમારો ભાવી પ્રોજેક્ટ છે જેમાં ગામની ગટર લાઈનો એક ખાસ પ્રકારે બનાવેલા સુએઝ પોન્ડમાં લઇને હાલના ગામના તળાવમાં આ પાણી જતું બંધ કરવું અને સુએઝ પોન્ડમાં આ ગટરના પાણીનું શુદ્ધિકરણ કરીને વનસ્પતિ અને વૃક્ષ ઉછેર તેમજ સિંચાઈના કામમાં વપરાય તેવું બનાવવું સાથોસાથ ગામના તળાવનું પાણી જે હાલમાં ખુબ દુષિત તથા વાસયુક્ત હોઈ બેક્ટેરિયા કલ્ચર દ્વારા જૈવિક રીતે શુદ્ધિકરણ કરીને તળાવને પ્રદુષણ મુક્ત કરવું.