1. બાલવા યુથ ફાઉન્ડેશન શું છે ?
બાલવા યુથ ફાઉન્ડેશનએ ગામના સેવાભાવી યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે બિન નફાકારક ઉદ્દેશ્ય અને ગામના સારા કામો કરવા માટે બનાવેલું સંગઠન છે. આ સંગઠન એ જ્ઞાતિ જાતિ ધર્મ વિગેરેથી મુક્ત છે એટલેકે તમામ સમાજનું સહિયારું યુવા ગ્રુપ છે. અહી કોઈ હોદ્દા પદાધીકારો કે અન્ય પદવીઓ આપવામાં આવતી નથી. માત્ર સેવા એજ મુખ્ય ઉદ્દેશ્ય છે.
2. બાલવા યુથ ફાઉન્ડેશન દ્વારા મરજીયાત દાન કે ફાળો કેમ સ્વીકારવામાં આવે છે?
આપણું આ સંગઠન એ બિન-નફાકારક હોઈ પોતાના સેવાના કાર્યોનો નિભાવખર્ચ અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ કે જેના માટે ખુબ મોટા પ્રમાણમાં ભંડોળ જરૂરી હોય છે તે શરુ કરવા માટે આપનો આર્થિક સહયોગ જરૂરી છે.
અહી દાન કે ફાળો એ મરજિયાત તથા સ્વૈચ્છિક છે ,જો આપને બાલવા યુથ ફાઉન્ડેશનનું કામ પસંદ હોય અને આપ દ્રઢ ઈચ્છા ધરાવતા હોવ તો દાન આપી શકો છો. દાન આપ્યા બાદ પાકી પાવતી અવશ્ય મેળવો, બાલવા યુથ ફાઉન્ડેશન એ સરકારી નોંધણી ધરાવતી સંસ્થા છે જેના હિસાબો નિયમિત સરકારશ્રી અને ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા ચકાસવામાં આવે છે.
3. શું મારું આપેલું દાન બાલવા યુથ ફાઉન્ડેશન સારા રસ્તે વાપરતું હશે?
આપણા આ સંગઠનમાં આવતા તમામ દાન અને ધર્માદાની વિગતો તથા ખર્ચની વિગતો આપણી વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે જેથી આપ સંપૂર્ણપણે પોતાના આપેલા દાન વિષે માહિતગાર રહેશો અને તેનો સદુપયોગ આપણને જોવા મળશે.
4. હું મારી વાત કે રજૂઆત બાલવા યુથ ફાઉન્ડેશનને કેવી રીતે પહોંચાડી શકું?
આપ વેબસાઈટ, ઈ મેઈલ, સોશિયલ મીડિયા, હેલ્પલાઈન નંબર કે આપના વિસ્તારના યુવાનનો સંપર્ક કરશો જેથી બાલવા યુથ ફાઉન્ડેશન સુધી આપની રજૂઆત પહોંચી જશે.